Maha Manthan Mantavya News
Other

દૂધસાગર ડેરીના એક્સપાયર થઈ ગયેલા પાવડરના જથ્થાને જાહેર કર્યો

દૂધસાગર ડેરીના વાઇસ ચેરમેનનો નવો ધડાકો

ડેરી પાસે એપ્રિલ 2025માં એક્સપાયર થયેલો પાવડરનો જથ્થો

દૂધસાગર ડેરી ફરી એકવાર વિવાદના વમળમાં સપડાઈ છે. ડેરીના વાઇસ ચેરમેન યોગેશ પટેલ દ્વારા ડેરી પાસે એપ્રિલ 2025માં એક્સપાયર થયેલો પાવડરનો મોટો જથ્થો હોવાનો ચોંકાવનારો ધડાકો કરવામાં આવ્યો છે. આ જથ્થો ચરાડા ગામના ગોડાઉનમાં રાખવામાં આવ્યો હોવાનો પણ તેમણે દાવો કર્યો છે. આ મામલે ડેરીના વહીવટ સામે ગંભીર સવાલો ઉભા થયા છે.વાઇસ ચેરમેન યોગેશ પટેલના જણાવ્યા અનુસાર, દૂધસાગર ડેરી પાસે કરોડો રૂપિયાનો દૂધનો પાવડર એવો છે જે એપ્રિલ 2025માં જ એક્સપાયર થઈ ગયો છે. આટલો મોટો જથ્થો એક્સપાયર થઈ ગયો હોવા છતાં ડેરી દ્વારા તેને રાખવામાં આવ્યો છે, જેના કારણે ડેરીને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનો આરોપ તેમણે લગાવ્યો છે. યોગેશ પટેલે આશ્ચર્ય વ્યક્ત કરતા સવાલ કર્યો છે કે, ડેરી પાસે પોતાનો જ પાવડરનો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં અમુલ પાસેથી પાવડર ખરીદવાનું કારણ શું? આ સવાલ ડેરીના વહીવટી તંત્રની પારદર્શિતા પર પ્રશ્નાર્થ ઊભો કરે છે.આ ગંભીર આક્ષેપો વચ્ચે વધુ એક ચોંકાવનારી ઘટના બની છે. એક્સપાયર થયેલા પાવડરના જથ્થાની તપાસ કરવા માટે રેડ કરવા ગયેલા વાઇસ ચેરમેન યોગેશ પટેલને અશોક ચૌધરી જૂથના લોકો દ્વારા ધક્કે ચઢાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ ઘટના ફરી એકવાર વાઇસ ચેરમેન પર થયેલા હુમલાનો સંકેત આપે છે, જે ડેરીના આંતરિક રાજકારણ અને સત્તા સંઘર્ષની તીવ્રતા દર્શાવે છે. યોગેશ પટેલના આ આક્ષેપો બાદ ડેરીના વહીવટ સામે ગંભીર સવાલો ઉભા થયા છે. એક્સપાયર થયેલા પાવડરના જથ્થાનું શું થશે? આ નુકસાન માટે કોણ જવાબદાર છે? અને વાઇસ ચેરમેન પર થયેલા હુમલા અંગે શું કાર્યવાહી થશે? તે જોવું રહ્યું. આ સમગ્ર મામલો આગામી સમયમાં વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે.

Related posts

ચેક બાઉન્સ કરાવી ફ્રોડ કરનાર લોકો ચેતી જજો… કાયદો નહીં છોડે…

mahamanthan mantavyanews

The Argument About Hot Irish Girl

Admin

Why Most People Are Dead Wrong About China Girls And Why You Need To Read This Report

Admin

Leave a Comment

error: Content is protected !!